Friday 10 May 2019

વિકલાંગ પેન્શન યોજના તથા વિકલાંગ પેન્શન યોજના-સંત સુરદાસ યોજના


ઈન્દિરા ગાંધી નેશનલ ડીસએબીલીટી પેન્શન સ્કીમ (IGNDPS) (કેન્દ્ર સરકારની યોજના)
યોજનાનો ઉદ્દેશ  :તીવ્ર અશકત વિકલાંગ વ્યકિતઓ માટે નાણાંકીય સહાય આપવી.
પાત્રતાના ધોરણો :
1.   લાભાર્થીનું નામ B.P.L. કુટુંબની (૦ થી ૧૬ સ્કોર) યાદીમાં  સમાવિષ્ઠ  હોવું
2.  અરજદારની ઊંમર ૧૮ થી વધુ અને ૮૦ વર્ષથી ઓછી હોવી જોઈએ (૧૮ થી ૭૯ વર્ષ) (નોંધ - ૮૦ વર્ષથી વધુ ઉંમરની વ્યક્તિને રા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના (IGNOPS) હેઠળ તબદીલ કરવાના રહે છે)
3.  અરજદારની વિકલાંગતાની ટકાવા તેથી વધુ હોવી જોઇએ.
યોજનાના ફાયદા/સહાય માસિક રૂા - ૬૦૦ (ભારત સરકાર રૂ.૩૦૦/- + રૂ. ૩૦૦)
પ્રક્રિયા :જિલ્લા સમાજ સુરક્ષા નમૂનામાં અરજી કરવાની હોય છે.
અમલીકરણ કરતી કચેરી/એજન્સી/સંસ્થા : સમાજ સુરક્ષા હસ્તકના ૩૩ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રીઓ.

વિકલાંગ પેન્શન યોજના-સંત સુરદાસ યોજના 
(રાજ્ય સરકારની યોજના)
યોજનાનો ઉદ્દેશ: તિવ્ર અશકત વિકલાંગ વ્યકિતઓ માટે નાણાંકીય સહાય આપવી.
પાત્રતાના ધોરણો
·         લાભાર્થીનું નામ B.P.L. કુટુંબની (૦ થી ૧૬ સ્કોર) યાદીમાં નામ સમાવિષ્ટ.
·         અરજદારની ઉંમર ૦ થી ૬૪ વર્ષ સુધીની હોવી જોઈએ. (તા.૩૧/૭/૨૦૦૯ના પહેલાનાં જૂના લાભાર્થીઓ)
·         અરજદારની વિકલાંગતાની ટકાવારી ૭૫ ટકા કે તેથી વ ધી જોઈએ.
·         તા.૧/૮/૨૦૦૯ પછી ૦ થી ૧૮ વર્ષ સુધી બી.પી.એલ, / વિકલાંગતા ધરાવતી વ્યક્તિઓ.
(નોંધઃ- ૧૮ વર્ષની ઉંમર બાદ ભારત સરકારની DPSમાં તબદીલ કરવામાં આવે છે.)
યોજનાના ફાયદા / સહાય: માસિક રૂા. ૪૦૦/-( રાજ્ય સરકારનો ફાળો)
પ્રક્રિયા :જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી નમુનામાં અરજી કરવાની હોય છે.
અમલીકરણ કરતી કચેરી /સંસ્થા :સમાજ સુરક્ષા ખાતા હસ્તક ૩૩ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રીઓ.
અન્ય શરતો : છેલ્લા ગુજરાતમાં વસવાટ કરતો હોવો જોઇએ.
વિશેષ નોંધ
1.   ભારત સરકારની IGNDPS વિકલાંગતાની ટકા ૮૦ % કે તેથી વધુ છે.
2.  રાજ્ય સરકારના જૂના લાભાર્થીઓમાં વિકલાંગતાની ટકાવારી ૭૫% છે. તા.૧/૮/૨૦૦૯ બાદ ૭૫% વિકલાંગતા ધરાવતા લાભાર્થીને લાભ મળતો નથી.
3.  ભારત સરકારની IGNDPSમાં વય ૧૮- ૭૯ વર્ષ છે, જ્યારે રાજય સરકારમાં o-૧૭ વર્ષની ઊંમરનો સમાવેશ થાય છે.

No comments:

Post a Comment