Friday 10 May 2019

વૃદ્ધ પેન્શન યોજના


ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના (વય વંદના) 

Indira Gandhi National Old Age Pension Scheme - (IGNOAPS)


યોજનાનો ઉદ્દેશ :


રાષ્ટ્રીય સામાજિક સહાય કાર્યક્રમ (National Social Assistance Programme(NSAP)) હેઠળ વૃદ્ધોને આર્થિક સહાય આપવી.


પાત્રતાના ધોરણો



1. અરજદારની ઊંમર ૬૦ વર્ષથી વધુ હોવી જોઈએ.


2. બી.પી.એલ.યાદીમાં ૦ થી ૧૬ ના સ્કોરમાં સમાવિષ્ટ.


યોજનાના ફાયદા/સહાય


1. ૬૦ થી ૭૯ વર્ષ સુધીનાને રૂ.૪૦૦/- માસિક સહાય (રૂા.૨૦૦/- ભારત સરકાર અને રૂ. ૨૦૦/- રાજ્ય સરકાર)


2. ૮૦ વર્ષથી વધુ ઊંમર ધરાવનારને માસિક સહાય (રૂ.૫૦૦/- ભારત સરકાર ૨૦૦/- રાજ્યસરકાર)


પ્રક્રિયા



તાલુકા મામલતદારને નિયત કરવાની હોય છે.


અમલીકરણ કરતી કચેરી/એજ્ન્સી /સંસ્થા


મહેસૂલ જિલ્લા કલેક્ટરશ્રી હેઠળના ૨૪૯ તાલુકા મામલતદારશ્રીઓ.

No comments:

Post a Comment