Saturday, 20 April 2019

શ્રી વાજપાઈ બેંકેબલ યોજના


કુટિર ઉદ્યોગના કારીગરોને રાષ્ટ્રીયકૃત બેંકો, સહકારી બેંકો, પબ્લીક સેક્ટર બેંકો, ખાનગી બેંકો મારફતે નાણાંકીય લોન/સહાય આપવાની યોજના
()  હેતુ:- આ યોજના હેઠળ ગુજરાતના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોના બેરોજગાર વ્યક્તિઓને સ્વરોજગારી પુરી પાડવાનો આશય રહેલો છે. અપંગ કે અંધ વ્યક્તિ પણ આ યોજનાનો લાભ લઈ શકશે.
()  યોજનાની પાત્રતા:
.   ઉંમરઃ ૧૮ થી ૬૫ વર્ષ
.   શૈક્ષણિક લાયકાત : ઓછામાં ઓછું ધોરણ-૪ (ચાર) પાસ અથવા
       તાલીમ/અનુભવઃ વ્યવસાયને અનુરૂપ ખાનગી સંસ્થામાંથી ઓછામાં ઓછા ૩ માસની તાલીમ અથવા સરકાર માન્ય સંસ્થામાંથી ઓછામાં ઓછા એક માસની તાલીમ લીધેલી હોવી જરૂરી છે અથવા એક વર્ષના ધંધાને લગતો અનુભવ હોવો જોઇએ અથવા વારસાગત કારીગર હોવા જોઇએ.
.    આવક મર્યાદા નથી.
()  બેંક મારફત લોન ધિરાણની મહત્તમ મર્યાદા:
(૧) ઉદ્યોગ ક્ષેત્ર માટે મહત્તમ ₹.૮ લાખ.
(ર)  સેવા ક્ષેત્ર માટે મહત્તમ ₹.૮ લાખ.
(૩) વેપાર ક્ષેત્ર માટે મહત્તમ ₹.૮ લાખ.
()  ધિરાણની રકમ ઉપર સહાયના દરઆ યોજના હેઠળ ઉદ્યોગ, સેવા અને વેપાર ક્ષેત્ર માટે સહાયના દર નીચે મુજબ રહેશે.
વિસ્તાર
જનરલ કેટેગરી
અનુસૂચિત જાતિ/અનુસૂચિત જન જાતિ/ માજી સૈનિક/મહિલા/૪૦% કે તેથી વધુ અંધ કે અપંગ
ગ્રામ્ય
૨૫%
૪૦%
શહેરી
૨૦%
૩૦%

(
)  સહાયની મહત્તમ મર્યાદા:
ક્રમ
ક્ષેત્ર
સહાયની રકમની મર્યાદા (રકમ રૂપિયામાં)
ઉદ્યોગ
₹.,૨૫,૦૦૦
સેવા
₹.,૦૦,૦૦૦
વેપાર
જનરલ કેટેગરી
શહેરી
₹.૬૦,૦૦૦
ગ્રામ્ય
₹.૭૫,૦૦૦
રીઝર્વ કેટેગરી
શહેરી/ ગ્રામ્ય
₹.૮૦,૦૦૦
નોંધ: અંધ કે અપંગ લાભાર્થીના કિસ્સામાં કોઇ પણ ક્ષેત્ર માટે મહત્તમ સહાય ₹.,૨૫,૦૦૦/- રહેશે.


1 comment: