Saturday 20 April 2019

બાળ સખા યોજના

અ.નં.
વિગતો
યોજનાનું નામ/પ્રકાર
બાળ સખા યોજના
યોજનાના લાભાર્થીની પાત્રતાનાં માપદંડ
આ યોજનામાં ગરીબી રેખા હેઠળના (બી.પી.એલ.કાર્ડ ધરાવતા) કુટુંબના ૩૦ દિવસ સુધીના નવજાત શિશુઓ તથા આવક વેરો ન ભરતા હોય તેવા અનુસૂચિત જન જાતિના તમામ નવજાત શિશુઓને લાભ આપવામાં આવે છે.
યોજના અંતર્ગત સહાય/લાભ
આ યોજના હેઠળના લાભાર્થી નવજાત શિશુઓને આ યોજનામાં જોડાયેલ ખાનગી બાળરોગ નિષ્ણાંતો ધ્વારા તેઓની હોસ્પિટલમાં નવજાત શિશુઓને લગતી કોઇપણ બિમારી માટે નિઃશુલ્ક સેવાઓ આપવામાં આવે છે.
બાળરોગ નિષ્ણાંત નવજાત શિશુના સગાને વાહનવ્યવહાર પેટે રૂ.ર૦૦/- લેખે વાઉચર ઉપર સહી લઇને તુરત જ ચૂકવી આપશે

યોજનાનો લાભ મેળવવા માટેની પધ્ધતિ
જે બાળકોનો જન્મ સરકારી સંસ્થાઓ અથવા ચિરંજીવી યોજના હેઠળ થાય, તેમજ ઘરે જન્મ થયેલ હોય અથવા ઘરે ગયા પછી ૩૦ દિવસની ઉંમર સુધી આ યોજનાનો લાભ મળવાપાત્ર છે. કોઇ પણ આરોગ્યકર્મચારી/આશા દ્વારા તે રીફર થયેલ હોવો જોઇએ.
યોજનાનો લાભ કયાંથી મળશે.
જિલ્લામાં જોડાયેલ ખાનગી બાળરોગ નિષ્ણાંત તબીબોને ત્યાં

No comments:

Post a Comment