Saturday, 20 April 2019

ઉજ્જવલા યોજના-ગેસ કનેક્‍શન


ઉજ્જવલા યોજના-ગેસ કનેક્‍શન
ગરીબીરેખાની નીચે જીવી રહેલા પરિવારોને મફત સ્‍થાનિક રાંધણગેસ કનેક્‍શન ઉપલબ્‍ધ કરાવવા સાથે સંબંધિત ઉજ્જવલા યોજના વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીએ આજે બલિયામાં લોંચ કરી દીધી હતી. મફત ગેસ કનેક્‍શનની યોજના લોંચ કરતા મોદીએ પોતાને મજુર નંબર વન તરીકે ગણાવીને અનેક મુદ્દા ઉપર વાત કરી હતી. પોતાને શ્રમિક નંબર વન તરીકે ગણાવીને મોદીએ મજુરોના કલ્‍યાણ માટે તેમની સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલી શ્રેણીબદ્ધ યોજનાઓનો ઉલ્લેખ કર્યો હતો. મે દિવસના પ્રસંગે આ યોજના શરૂ કરવામાં આવી છે. મોદીએ અગાઉની સરકારો ઉપર ગરીબો માટે ખુબ ઓછું કામ કરવા બદલ ઝાટકણી કાઢી હતી. તેમણે કહ્યું હતું કે, અગાઉની સરકારો દ્વારા બનાવવામાં આવેલી નીતિઓ ગરીબોના કલ્‍યાણને ધ્‍યાનમાં લઇને તૈયાર કરવામાં આવી ન હતી. માત્ર મતબોક્‍સને ધ્‍યાનમાં લઇને યોજના તૈયાર કરાઇ હતી. મોદીએ સાફ શબ્‍દોમાં કહ્યું હતું કે, જો ગરીબોને શક્‍તિ મળશે, સંશાધન મળશે અને તક મળશે, શિક્ષણ, રોજગારી, આવાસ, પીવાના પાણી, વિજળી જેવી સુવિધા મળશે તો જ ગરીબી નાબૂદ થશે.


જરૂરી દસ્તાવેજ
આ માટે સંબંધિત બીપીએલ પરિવારના તમામ સભ્યોના નામે આધારકાર્ડ હોવું જરૂરી છે. ગ્રાહકો ૩૦ એપ્રિલ સુધીમાં અરજી કરી શકશે. બીપીએલ રેશનકાર્ડ, બેન્ક પાસબુકની સાથે ત્રણ ફોટો બીડીને અરજી કરવાની રહેશે. સાથે પરિવારના તમામની આધારકાર્ડની નકલ પણ બીડવાની રહેશે.
આ યોજના હેઠળ ગેસ એજન્સીઓ ગેસ કનેક્શનની સાથેસાથે રેગ્યુલેટર, રબર ટ્યૂબ, સગડી વગેરે તમામ સામાન વિનામૂલ્યે આપશે. ઇન્ડેન વહેલા તે પહેલાના ધોરણે વિનામૂલ્યે ગેસ કનેકશન આપશે. એચપીસીએલ ગ્રાહકોને એક સિલિન્ડર, એક રેગ્યુલેટર, સિક્યોરિટી ડિપોઝિટ, કાર્ડ અને સેફ્ટી હોઝ વિનામૂલ્યે આપશે.



No comments:

Post a Comment